Tet tat bharti 2024-25

Tet tat bharti 2024-25

 

• રાજ્યમાં આગામી ત્રણ મહિનામાં 7500 જેટલા TAT Secondary અને TAT higher Secondary પાસ ઉમેદવારોની કાયમી ભરતી કરાશે*

*TET-1 અને TET-2 ઉમેદવારોની પણ ભરતી પ્રક્રિયા ટૂંક સમયમાં હાથ ધરાશે*

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલની અધ્યક્ષતામાં આજે ગાંધીનગર ખાતે મળેલી કેબિનેટ બેઠકમાં થયેલ ચર્ચા સંદર્ભે પ્રવક્તા મંત્રી શ્રી ઋષિકેશ પટેલ એ જણાવ્યું હતુ કે, રાજ્યની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સરકારી અને ગ્રાન્ટ-ઇન-એડ શાળાઓમાં આગામી ત્રણ મહિનામાં 7,500 જેટલા શિક્ષકોની કાયમી ભરતી કરાશે.

રાજ્યની ગ્રાન્ટ-ઇન-એડ શાળાઓમાં TAT-Secondary અને TAT- Higher Secondary પાસ ઉમેદવારોની યોગ્યતાના આધારે કસોટી પ્રમાણે કાયમી ભરતી કરાશે. તેમણે વધુમાં કહ્યું કે, TET-1 અને TET-2 ઉમેદવારોની પણ ભરતી પ્રક્રિયા હાથ ટૂંક સમયમાં હાથ ધરવામાં આવશે.

વધુ વિગતો આપતા મંત્રી શ્રી ઋષિકેશ પટેલ એ જણાવ્યું હતું કે, માધ્યમિક એટલે કે ઘોરણ 9 અને ઘોરણ 10ની સરકારી શાળામાં કુલ 500 અને ગ્રાન્ટ-ઇન-એડ શાળામાં 3,000 એમ કુલ 3500 TAT-1 પાસ થયેલ ઉમેદવારોની ભરતી કરાશે.
જ્યારે ઉચ્ચર માધ્યમિક એટલે કે ઘોરણ 11 અને ઘોરણ 12 માં સરકારી શાળામાં 750 અને ગ્રાન્ટ -ઇન – એડ શાળામાં 3250 એમ મળીને TAT-2 ના કુલ 4000 જેટલા ઉમેદવારોની ભરતી કરાશે તેમ મંત્રી શ્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતુ.

મંત્રી શ્રી એ વધુમા કહ્યું કે, તાજેતરમાં 1500 જેટલા HMAT પ્રિન્સીપાલની ભરતી રાજ્યની ગ્રાન્ટ ઇન એડ શાળાઓમાં કરવામાં આવી છે.
અત્રે નોંધનીય છે કે, રાજ્યમાં છેલ્લા 10 વર્ષમાં કુલ 18,382 જેટલા શિક્ષકોની કાયમી ભરતી કરવામાં આવી છે.
*આંદોલન ની અસર*

*માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક માટે 7500 કાયમી શિક્ષકોની થશે ભરતી*

*ટાટ 1 અને 2 ક્લિયર કરનાર ઉમેદવારો માંથી થશે પસંદગી*

*ત્રણ માસની અંદર પ્રક્રિયા શરૂ થશે*

*કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલની જાહેરાત*

*પ્રાથમિક શિક્ષકોની ભરતી ના નિયમો બની રહ્યા છે*

*નિયમો ફાઇનલ થયા બાદ ભરતી જાહેર કરવામાં આવશે*
*ઘોરણ 9 અને ઘોરણ 10ની સરકારી શાળામાં કુલ 500*

*ગ્રાન્ટ-ઇન-એડ શાળામાં 3,000 એમ કુલ 3500 TAT-1 પાસ થયેલ ઉમેદવારોની ભરતી કરાશે*

*ઘોરણ 11 અને ઘોરણ 12 માં સરકારી શાળામાં 750 જગ્યાઓ*

*ગ્રાન્ટ -ઇન – એડ શાળામાં 3250 એમ મળીને TAT-2 ના કુલ 4000 જેટલા ઉમેદવારોની ભરતી કરાશે*

Tet tat ભરતી ના ગ્રુપમાં જોડાવા માટે અહી ક્લીક કરો

Leave a Comment